Blogger Widgets Blogger Widgets

સુસ્વાગતમ...

મિત્રો



બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.



આશા છે આ વેબ સાઈટ પર આપને બાળકોના રસીકરણ વિશે તમામ માહિતી મળી રહેશે. આ વેબ સાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર(Internet Explorer) માં વધુ સારી રીતે જોઈ શકાય છે.







બુધવાર, 10 જૂન, 2009

કુદરતની છે કમાલ...

મિત્રો નવજાત શિશુ વિશે કેટલીક વાતો ખરેખર વિસ્મયકારક છે. આજે એવી જ એક વાત કરવી છે. જે જોડાયેલી છે શિશુની દ્ર્ષ્ટિ સાથે.!
સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો કારણકે માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતા વાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરુઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત બીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવેતો પ્રકાશની તીવ્રતા ઘટી જતા જ શિશુ આંખ ખોલે છે. સમય જતા શિશુઓ આંખ ખોલી આજુબાજુ નું નિરીક્ષણ કરતા હોય તેવુ લાગે છે. પરંતુ હકીકતે નવજાતશિશુઓ માત્ર 12 ઈંચ થી વધુ દૂરનું જોવા અક્ષમ હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ આંખની સંરચના હોય છે કે જેમાં લેન્સ દ્વારા રેટીના પર પ્રતિબીંબ ઝીલવાની ક્ષમતા માત્ર નજીકની વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. કુદરત નો આ 12 ઈંચનો ફંડા સમજવા વૈજ્ઞાનિકો ઘણુ મંથન કર્યુ- શા માટે 12 ઈંચ દૂર નું જ જોવાની શક્તિ મનુષ્યના શિશુને મળી તે વિષયે કોઈ એક મત પર ન આવી શક્યા અંતે તાર્કિક વાત જે બાબતે મોટા નવજાત શિશુ વિજ્ઞાની એકમત થાય છે તે છે –માતાના સ્તન અને ચહેરા વચ્ચેનુ અંતર લગભગ 12 ઈંચ જેટલુ હોય છે. મતલબ કે શિશુને જાણે કુદરતે માતાના ચહેરાને ઓળખવાની ક્ષમતા આપી છે. આમ પણ દુનિયામાં જીવન જીવવાની તમામ જરુરીયાતો સંતોષવા શિશુએ એ એક જ ચહેરાને ઓળખવાની જરુર છે..! છે ને કુદરતની કમાલ !

ટિપ્પણીઓ નથી: